Skip to main content

તમારી ક્રિપ્ટોકરન્સીને કેશમાં કેવી રીતે રૂપાંતરિત કરવી? (How To Convert Your Cryptocurrency Into Cash?)

By એપ્રિલ 26, 2022મે 27th, 20223 minute read
How to convert your cryptocurrency into cash - WazirX

ક્રિપ્ટોકરન્સીએ ફિયાટ મનીના લોકપ્રિય વિકલ્પ તરીકે રોકાણકારો અને નાણાકીય સેવા કંપનીઓમાં મોટા પાયે રસ હાંસલ કર્યો છે. જો કે, બ્લોકચેન આધારિત ડિજિટલ કરન્સીના કોન્સેપ્ટમાં એક પડકારજનક સમસ્યા છે. નિયમિત ફિયાટ કરન્સીની જેમ આ કરન્સીને ખરેખર ખર્ચ કરવી મુશ્કેલ હોઈ શકે છે. પરંતુ એવા માર્ગો છે જે લોકોને  બિટકોઇન  અને  ઇથેરિયમ  જેવી  ક્રિપ્ટોકરન્સી નો ઉપયોગ તેમના રોજિંદા નાણાકીય વ્યવહારો માટે વધુ મુખ્ય પ્રવાહની રીતે કરવામાં મદદ કરી શકે છે. ક્રિપ્ટો ક્ષેત્રમાં એક સળગતો પ્રશ્ન એ છે કે 2022માં ક્રિપ્ટોને કેશમાં કેવી રીતે રૂપાંતરિત કરવી?

ડિજિટલ કરન્સી અત્યંત અસ્થિર હોય છે અને તેના મૂલ્યોમાં નાટકીય રીતે વધઘટ થાય છે. જોખમ-વિરોધી રોકાણકાર ડિજિટલ કરન્સીની આસપાસની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને તેમના ડિજિટલ નાણાંને ફિયાટ કરન્સીમાં રૂપાંતરિત કરવાનું વિચારી શકે છે. જો કે, ક્રિપ્ટોને કેશમાં રૂપાંતરિત કરવાની તમામ રીતોમાં લાભ પરના કરવેરાનો સમાવેશ થાય છે. આ લેખમાં અમે 2022માં ક્રિપ્ટોને કેશમાં કેવી રીતે રૂપાંતરિત કરવી તે અંગેના તમારા પ્રશ્નનો જવાબ આપીશું.

ક્રિપ્ટોને ભારતમાં કેશમાં કેવી રીતે રૂપાંતરિત કરવી તે અંગેની  માર્ગદર્શિક

ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મ મારફતે

અમારી માર્ગદર્શિકામાં પ્રથમ રસ્તો ક્રિપ્ટોને ભારતમાં  WazirX જેવા  ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મ્સ દ્વારા કેશમાં કેવી રીતે રૂપાંતરિત કરવી તે છે. તે પછી, તમે કોઈપણ ક્રિપ્ટોકરન્સીને એક્સચેન્જ પ્લેટફોર્મ અથવા બ્રોકર દ્વારા કેશમાં રૂપાંતરિત કરી શકો છો. આ વિદેશી એરપોર્ટ પર કરન્સી એક્સચેન્જ સિસ્ટમ જેવું જ છે. 

  • તમારે તમારી ક્રિપ્ટોકરન્સી WazirX જેવા એક્સચેન્જમાં જમા કરાવવી પડશે.
  • પછી તમારે તમારી પસંદગીની કરન્સીમાં ઉપાડ માટેની વિનંતી મૂકવી પડશે. 
  • થોડા સમય પછી તમારા બેંક એકાઉન્ટમાં નાણાં જમા થઈ જશે.

આ પદ્ધતિને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ કેટલીકવાર તમારા ખાતામાં ફંડ આવવામાં 4-6 દિવસનો સમય લાગે છે. તદુપરાંત, ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જીસ ટ્રાન્ઝેક્શન ફી લે છે, આ જે-તે એક્સચેન્જ પ્લેટફોર્મ અનુસાર બદલાય છે.

Get WazirX News First

* indicates required

પીઅર-ટુ-પીઅર નેટવર્ક મારફતે

ક્રિપ્ટોને ભારતમાં કેશમાં કેવી રીતે રૂપાંતરિત કરવી તે અંગેની અમારી માર્ગદર્શિકામાં અન્ય માર્ગ પીઅર-ટુ-પીઅર પ્લેટફોર્મ દ્વારા છે. તમે તમારી ક્રિપ્ટોકરન્સીને ફક્ત વેચીને કેશમાં રૂપાંતરિત કરવા માટે પીઅર-ટુ-પીઅર પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો. આ પદ્ધતિ તમને ઝડપી અને વધુ અનામી ઉપાડ પ્રદાન કરે છે. આ પદ્ધતિના અન્ય લાભોમાં ઓછી ફી અને તૃતીય-પક્ષ વિનિમય પ્લેટફોર્મ કરતા વધુ સારા વિનિમય દરની શક્યતાનો સમાવેશ થાય છે. 

  • સૌપ્રથમ, તમારે પીઅર-ટુ-પીઅર એક્સચેન્જ પ્લેટફોર્મ માટે સાઇન અપ કરવાની અને તમારા આદર્શ ખરીદદારના સ્થાનની શોધ કરવાની જરૂર છે.
  • તે પછી, બજારમાં ખરીદદારોની શોધ કરો. મોટા ભાગના પીઅર-ટુ-પીઅર પ્લેટફોર્મ્સ એસ્ક્રો સેવા પૂરી પાડે છે. આનો અર્થ એ કે જ્યાં સુધી તમે પુષ્ટિ ન કરો કે ચુકવણી પ્રાપ્ત થઈ છે ત્યાં સુધી તમારી ક્રિપ્ટોકરન્સી ખરીદનાર દ્વારા એક્સેસિબલ રહેશે નહીં.

પીઅર-ટુ-પીઅર વેચાણ પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે સ્કેમર્સથી વાકેફ હોવું મહત્ત્વપૂર્ણ છે. તમારે ખરીદદાર માટે તમારી ક્રિપ્ટોકરન્સી મુક્ત કરતા પહેલા તેમની ઓળખની ખરાઈ કરવી આવશ્યક છે. પીઅર-ટુ-પીઅર પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની પણ ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે, જે તમને તમારી ક્રિપ્ટો એસેટ્સને ત્યાં સુધી લોક રાખવાની મંજૂરી આપે છે જ્યાં સુધી ખરીદનાર ચુકવણી ન કરે.

ક્રિપ્ટોકરન્સી બેંકિંગ સાથે ફિયાટની જેમ તમારી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરો

ક્રિપ્ટોકરન્સી બેંકિંગ લોકોને તેમની ડિજિટલ એસેટને તે જ રીતે ખર્ચ કરવાની મંજૂરી આપે છે જે રીતે તેઓ પરંપરાગત નાણાં ખર્ચ કરશે. ક્રિપ્ટો બેંકિંગ લોકોને તેમના ડિજિટલ સિક્કાઓને ડિજિટલ  વૉલેટ્સમાં સંગ્રહિત કરવાની પણ મંજૂરી આપે છે. આ પ્રકારના બેન્કિંગ દ્વારા ક્રિપ્ટોકરન્સી ડેબિટ કાર્ડની એક્સેસ મળે છે. આ કાર્ડ્સ તમને તમારા ડિજિટલ કોઇન બેલેન્સનો ઉપયોગ કરવા માટે સક્ષમ બનાવે છે કારણ કે તમે અન્ય કોઈપણ કરન્સીનો ઉપયોગ રોજિંદા ખરીદી કરવા અથવા તેને રોકાણ તરીકે રાખવાને બદલે રોકડ તરીકે ઉપાડવા માટે કરી શકો છો.

ક્રિપ્ટો ડેબિટ કાર્ડ્સ  ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મ્સ . આ કાર્ડ્સ ક્રિપ્ટોકરન્સીથી લોડ કરી શકાય છે અને તેનો ઉપયોગ ઓનલાઇન અને ઇન-સ્ટોર ખરીદી કરવા માટે કરી શકાય છે, જેઓ . ડિજિટલ કરન્સી સ્વીકારતા નથી.

આ ડેબિટ કાર્ડ્સની ઉપલબ્ધતા પહેલાં, તમે તમારી ક્રિપ્ટોકરન્સી ફક્ત એવા રિટેલર્સને ત્યાં ખર્ચ કરી શકતા હતા, જેમણે  ક્રિપ્ટોકરન્સીને ચુકવણી પદ્ધતિ તરીકે સ્વીકારવાનું પસંદ કર્યું હતું અથવા ક્રિપ્ટોને કેશમાં રૂપાંતરિત કરવાના માર્ગો શોધવાનું પસંદ કર્યું હતું. અત્યારે ફિનટેક કંપનીઓ ચાર્ટર્ડ બેંક્સ અને ડેબિટ કાર્ડ ઇશ્યૂઅર્સ સાથે ભાગીદારી કરીને આ ક્રિપ્ટો કાર્ડ ઓફર કરી રહી છે, જે તમારા ભાગીદારોના લોજિસ્ટિક અને રેગ્યુલેટરી ફ્રેમવર્કનો ઉપયોગ કરીને આપમેળે તમારી ક્રિપ્ટોકરન્સીનું વેચાણ કરી રહી છે, તેને કેશમાં પરિવર્તિત કરી રહી છે અને રિટેલર્સને તેને સ્વીકારવાની મંજૂરી આપી રહી છે. આનો અર્થ ક્રિપ્ટો બેંકિંગ દ્વારા જ્યાં પણ પરંપરાગત ડેબિટ કાર્ડ્સ સ્વીકારવામાં આવે છે ત્યાં તમે તમારા ડિજિટલ ભંડોળનો ઉપયોગ કરી શકો છો.

ક્રિપ્ટો બેન્કિંગ એક નવો વિચાર હોવા છતાં, તેને પરંપરાગત બેંકોની જેમ લોકપ્રિય થવામાં સમય લાગશે. એટલે  ભારતમાં બિટકોઈનને રોકડમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય  તેની શોધ ચાલુ રહેશે. આ પોસ્ટમાં ક્રિપ્ટો/બિટકોઈનને કેશમાં કેવી રીતે કન્વર્ટ કરવું તે અંગે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે  ક્રિપ્ટોકરન્સી માર્કેટ  વોલેટાઈલ છે. તેથી, ક્રિપ્ટો ક્ષેત્રમાં વેપારના જોખમને ઘટાડવા માટે તમારે આવશ્યક નિવારક પગલાં લેવા જોઈએ. 

PS: તમારા ક્રિપ્ટોને માત્ર વિશ્વસનીય ક્રિપ્ટો પ્લેટફોર્મ પરથી જ કેશમાં કન્વર્ટ કરો!

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply